મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે જેટ સીરામીક કારખાના પાછળના ભાગમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર યુવાન રેલ્વે ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્ટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભગવાડા પગારિયા ગામનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક જેટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંજય રાજેશભાઈ સોલંકી (૪૦) નામનો યુવાન જેઠ સીરામી કારખાની પાછળથી પસાર થતી રેલવે લાઈનના ફાટક નંબર ૧૪ પાસે કોઈપણ કારણોસર રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મોતના બનાવની મકનસર રેલવે સ્ટેશન માસ્તર અર્જુનસિંહ ચૌધરી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમતની દારૂની બોટલો સાથે મુલાવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા જાતે પીંજારા (૪૦) રહે. ઘાંચી શેરી ફારૂકી મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News