મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો


SHARE













મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ બોગસ ચલણી નોટોનો ગુન્હા નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાને બોગસ ચલણી નોટોના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીઝન તા.૩-૪-૨૦૧૯ ના રોજ આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબની ફરિયાદ આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં ૨૦૦૦ ના દરની ૪૦ નોટ તથા ૧૦૦ દરની ૧૦૦ નોટ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે મળી આવ્યો હતો અને ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ હતો જેથી તેની તા ૩-૪-૨૦૧૯ ના રોજ અટક કરી હતી અને તા.૪-૪-૨૦૧૯ ના રોજ કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા. ૨૦-૭-૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯/૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ છે ત્યારબાદ સેસન્સ કોર્ટમાં કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજ પી.સી. જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા એડવોકેટ કુ. મેનાઝ એ.૫૨મા૨ રોકાયેલા હતા. અને બચાવ પક્ષના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે






Latest News