બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મૂળ છત્તીસગઢનો રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે બાપાસીતારામ વાળી શેરીમાં ઓરડીમાં રહેતા યુવાન માનસિક અસ્થિર થઈ ગયો હતો અને તેને પોતે પોતાની જાતે નાયલોનની મજબૂત પટ્ટી વડે લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મુતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છત્તીસગઢનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રફાળેશ્વર ગામે બાપાસીતારામ વાળી શેરીમાં જયશ્રીબેન પોપટભાઈ સોલંકીની ઓરણીમાં રહેતા ઈરીક ઇલપીન ખાખા જાતે ખ્રિસ્તી (૨૦) નામના યુવાને લીમડાના ઝાડ સાથે નાયલોનની મજબૂત પટ્ટી બાંધીને ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાત કરી લેનારા યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન અમોશ અલેક્સીપુસ બરા જાતે ખ્રિસ્તી (૩૫) રહે. હાલ રફાળેશ્વર મૂળ રહે છત્તીસગઢ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મૃતકના પરિવારજન પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લા ત્રણ ચાર દિવસથી મગજની કોઈ પણ પ્રકારની માનસિક બીમારી થઈ જતા માનસિક બીમારીના કારણે માનસિક અસ્થિર થઈ જતા આ યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની મોરબી તાલુકો પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના કુલીનગરમાં રહેતા ફારૂક સુલતાન જામ (૨૮) નામના યુવાનને ઉજાલા ડેરી પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે વાહન અકસ્માતમાં બનાવમાં સોકાત અલીયાસખાન (૩૫) નામના યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News