મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં રણછોડનગરની પાછળના ભાગમાં આવેલ નિધિપાર્કમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી રોડ ઉપર વહે છે જેની પાલિકામાં અનેક વખત રજૂઆત કરેલ છે તો પણ તેનો ઉકેલ આવતો નથી જેથી સ્થાનિક લોકો મોરબીના કલેકટર પાસે પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો સમસ્યા હવે ઉકેલાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના નિધિપાર્કમાંથી ગયેલા લોકોએ આપેલ આવેદનપત્રમાં લખ્યું છે કે, મોરબીના ગોર ખીજડીયા રોડ નિધિપાર્ક આવેલ છે તેમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે વર્ષો પહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી. જેની સફાઈ કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં ભૂગર્ભ ભરાઈ ગયેલ છે અને ગંદુ પાણી સોસાયટીમાં રસ્તા ઉપર વહે છે જેથી લોકોને ગંદકિની વચ્ચે જ રહેવું પડે છે આ સમસ્યા માટે અનેક વખત પાલિકામાં રજૂઆત કરેલ  છે તો પણ કોઈ કામ કરતું નથી અને લોકો હેરાન છે ત્યારે હવે આ પ્રશ્ને ઉલેકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે








Latest News