મોરબીમાં ત્રાજપર ચોકડીએ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકી: ત્રણ ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત
SHARE









મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત
મોરબીમાં રણછોડનગરની પાછળના ભાગમાં આવેલ નિધિપાર્કમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી રોડ ઉપર વહે છે જેની પાલિકામાં અનેક વખત રજૂઆત કરેલ છે તો પણ તેનો ઉકેલ આવતો નથી જેથી સ્થાનિક લોકો મોરબીના કલેકટર પાસે પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો સમસ્યા હવે ઉકેલાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબીના નિધિપાર્કમાંથી ગયેલા લોકોએ આપેલ આવેદનપત્રમાં લખ્યું છે કે, મોરબીના ગોર ખીજડીયા રોડ નિધિપાર્ક આવેલ છે તેમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે વર્ષો પહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી. જેની સફાઈ કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં ભૂગર્ભ ભરાઈ ગયેલ છે અને ગંદુ પાણી સોસાયટીમાં રસ્તા ઉપર વહે છે જેથી લોકોને ગંદકિની વચ્ચે જ રહેવું પડે છે આ સમસ્યા માટે અનેક વખત પાલિકામાં રજૂઆત કરેલ છે તો પણ કોઈ કામ કરતું નથી અને લોકો હેરાન છે ત્યારે હવે આ પ્રશ્ને ઉલેકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

