મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી વીસી ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તેવી માંગ સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે જેના લીધે અકસ્માતો પણ થાય છે. ત્યારે મોરબીના વીસી ફાટક પાસે જો અંડરપાસ બ્રીજ બને તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. અને ફાટક વારંવાર બંધ થતી લોકોને થતી હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી જશે હાલમાં મોરબીમાં નટરાજ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે. તેથી વધુમાં વધુ ટ્રાફીક વીસી ફાટક પાસે થાય છે જેથી કરીને વહેલી તકે મોરબી વીસી ફાટક અંડરપાસ બ્રીજ બનાવમાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં લખ્યું છે કે, ન્યાયાધીશના કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ ટુંકાવીને તે જમીનનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, મોરબીમાંથી સામાકાંઠે જતાં વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે. ત્યારે પોલીસ અને ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે વાહન ચાલકોને જે ઘર્ષણ થાય છે. તેના બંધ થઈ જશે અને લોકોની સુવિધામાં વધારો થશે જેથી કરીને વહેલી તકે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તે અનિવાર્ય છે






Latest News