મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી વીસી ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તેવી માંગ સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે જેના લીધે અકસ્માતો પણ થાય છે. ત્યારે મોરબીના વીસી ફાટક પાસે જો અંડરપાસ બ્રીજ બને તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. અને ફાટક વારંવાર બંધ થતી લોકોને થતી હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી જશે હાલમાં મોરબીમાં નટરાજ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે. તેથી વધુમાં વધુ ટ્રાફીક વીસી ફાટક પાસે થાય છે જેથી કરીને વહેલી તકે મોરબી વીસી ફાટક અંડરપાસ બ્રીજ બનાવમાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં લખ્યું છે કે, ન્યાયાધીશના કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ ટુંકાવીને તે જમીનનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, મોરબીમાંથી સામાકાંઠે જતાં વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે. ત્યારે પોલીસ અને ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે વાહન ચાલકોને જે ઘર્ષણ થાય છે. તેના બંધ થઈ જશે અને લોકોની સુવિધામાં વધારો થશે જેથી કરીને વહેલી તકે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તે અનિવાર્ય છે






Latest News