મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત


SHARE











રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત 

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્કમાં રહેતા આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોવાથી બીમારીથી કંટાળી ગયા હતા અને તેઓ રાજકોટથી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ પોતાની વાડી આવ્યા હતા અને ત્યાં ખેત ઉપયોગી ઝેરી દવા પી ગયા બાદ તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ માં રહેતા સુરેશભાઈ મોહનભાઈ લીંબાસીયા જાતે પટેલ (૫૩) નામના આધેડે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં તેની પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા રવિભાઈ સુરેશભાઈ લીંબાસીયા જાતે પટેલ (૨૬) રહે. તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હતા અને તે પોતાની બીમારીથી કંટાળી ગયા હોય તેઓ રાજકોટથી તેઓની વાડી કોટડા નાયાણી ગામે આવેલ છે ત્યાં આવ્યા હતા અને ત્યાં તેણે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે આ બનાવ અંગેની હાલમાં પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કે.બી. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા સીપરા પાર્થ મનીષભાઈ (૧૩) નામના બાળકને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News