મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત


SHARE















રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત 

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્કમાં રહેતા આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોવાથી બીમારીથી કંટાળી ગયા હતા અને તેઓ રાજકોટથી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ પોતાની વાડી આવ્યા હતા અને ત્યાં ખેત ઉપયોગી ઝેરી દવા પી ગયા બાદ તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ માં રહેતા સુરેશભાઈ મોહનભાઈ લીંબાસીયા જાતે પટેલ (૫૩) નામના આધેડે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં તેની પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા રવિભાઈ સુરેશભાઈ લીંબાસીયા જાતે પટેલ (૨૬) રહે. તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હતા અને તે પોતાની બીમારીથી કંટાળી ગયા હોય તેઓ રાજકોટથી તેઓની વાડી કોટડા નાયાણી ગામે આવેલ છે ત્યાં આવ્યા હતા અને ત્યાં તેણે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે આ બનાવ અંગેની હાલમાં પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કે.બી. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા સીપરા પાર્થ મનીષભાઈ (૧૩) નામના બાળકને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News