મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

ચેક આપી વિશ્વાસ ભંગ કરનાર લોકો સાવધાન : મોરબીમાં સમાધાન માટે આપેલ ચેક રિટર્ન થતા દેવાદારને રૂા.૮ લાખનો દંડ એક વર્ષની સજા


SHARE











ચેક આપી વિશ્વાસ ભંગ કરનાર લોકો સાવધાન : મોરબીમાં સમાધાન માટે આપેલ ચેક રિટર્ન થતા દેવાદારને રૂા.૮ લાખનો દંડ એક વર્ષની સજા

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને રૂા. ૮,૦૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધની કોર્ટએ કરેલ છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી નાનક ઇન્ફાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર, રહે-૨૦૪ બાબુભાઇ ચેમ્બર, આથવા ગેટ, સુરતવાળા સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસમાં ચેક રીટર્નના કેસમાં થયેલા સમાધાન પેટે રૂા.૫,૫૦,૦૦૦ નો ચેક આરોપીએ પોતાની સહી કરીને ફરીયાદીને આપેલ.જે ચેક પરત ફરતા ફરીયાદીએ આ હાલની ફરીયાદના આરોપી-ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ ની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલો અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તા.૨૯-૩-૨૪ ના રોજ ત્રીજા એડી. ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ એ આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૮ લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે.નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સાથે સમાધાન કરી સમાધાન પેટેનો ચેક આપી ફરીયાદી સાથે વિશ્વાસ અને ભરોસાનો ભંગ કરતાં આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો કોર્ટેએ આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે,ભટ્ટ રોકાયેલા હતા.






Latest News