મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના વિરોધમાં કલેકટરને અપાયું આવેદનપત્ર


SHARE







મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના વિરોધમાં કલેકટરને અપાયું આવેદનપત્ર

પરસોતમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા રાજકોટની અંદર રાજપૂત સમાજ વિશે જે અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને રાજપૂત સમાજમાં આક્રોશની લાગણી ફેલાય છે અને રાજપુત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલા ની રાજકોટ થી ટિકિટ રદ કરવામાં આવે અને તેને કોઈ જગ્યાએ ટિકિટ ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે દરમ્યાન ગઈકાલે ગધેથડ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરીમાં પાટીદાર સમાજના લોકો પણ હાજર હતા ત્યારે લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ પોતે બોલેલા શબ્દો માટે જાહેરમાં માફી માગી હતી જોકે આજે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી ઉચારવામાં આવી છે અને તેની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરી છે વધુમાં તેમને જણાવ્યું હતું કે ગઈકાલે જે સમાધાન માટેની બેઠક મળી હતી તેમાં માત્ર ભાજપ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો હાજર હતા ત્યાં શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા વિગેરે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કોઈ હાજર ન હતા અને આ સમાધાન તેઓને મંજૂર નથી અને પરસોતમભાઇ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.






Latest News