મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી: પિતાના સ્મરણાર્થે દીકરીએ રક્તદાન કેમ્પ, ગામ જમણ અને શબવાહિની સેવા શરૂ કરી


SHARE















મોરબી: પિતાના સ્મરણાર્થે દીકરીએ રક્તદાન કેમ્પ, ગામ જમણ અને શબવાહિની સેવા શરૂ કરી

પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે દિકરીએ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવા પ્રકલ્પો યોજી પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે સમાજ પણ આ દિકરીના કાર્યને બિરદાવી રહ્યો છે. જેમાં મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે  તેમના પિતા સ્વર્ગસ્થ નરભેરામભાઇ મોહનભાઈ ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાનએ મહાદાન ઉક્તિને ચરિતાર્થ કરવામાં આવી હતી. સાથે સાથે ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે સમગ્ર દેરાળા ગામને ધુવાણા બંધ જમણવારનું તથા રાત્રે ધુન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પિતાના સ્મરણાર્થે દિકરી હેતલબેન દ્વારા શબવાહિની સેવામાં આપવામાં આવી હતી. મોરબી તથા મોરબીના આસપાસના ગામના લોકોને જરૂરિયાત હોય તેમને આ શબવાહિની સેવામાં આપવામાં આવશે. તેમજ મો. ૯૫૮૬૦ ૫૨૨૨૬ ઉપર સંપર્ક કરી શકશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.






Latest News