હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ


SHARE













રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે થઈને છે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે તેને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જેમાં પરસોતમભાઇ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં કાર્યક્રમમાં તેણે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે શબ્દ પ્રયોગ કર્યા હતા તેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને રાજપુત કરણી સેનાના ગુજરાત તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ અગાઉ કરવામાં આવી છે તેવામાં આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ તેની રાજકોટ બેઠક ઉપરથી ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આગામી સમયમાં રાજકોટ બેઠક ઉપરથી પરસોતમભાઇ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ભાજપ દ્વારા તો ક્ષત્રિય સમાજની જે વિવિધ ૧૦૦ જેટલી સંસ્થાઓ છે તેના દ્વારા બનાવવામાં આવેલ કમિટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે મુજબ વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવશે અને શહેરથી લઈને ગામડા સુધી ભાજપ વિરોધી મતદાન કરવા માટે થઈને લોકોને અપીલ કરવામાં આવશે તેવું વાંકાનેર ક્ષત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું છે






Latest News