મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા બે વિસ્તારમાં મારામારી: ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના જુદાજુદા બે વિસ્તારમાં મારામારી: ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબીના પાવન પાર્ક તથા વીસીપરામાં આવેલ આંબેડકરનગર સ્કૂલ પાસે મારામારીની બે ઘટના બની હતી જેમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંને બનાવની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરવામાં આવેલ છે

બનવાની મળતી માહિતી મુજબ મોરબીના પાવન પાર્કમાં રહેતા દીપક મનસુખભાઈ ચૌહાણ (૨૪) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મારામારીનો બીજો બનાવ મોરબીના વીસીપરા વિસ્તારમાં થાય હતો અને આંબેડકર નગર સ્કૂલ પાસે ભીમરાવનગરમાં રહેતા સંજય પ્રેમજી સાગઠીયા (૨૯) અને ભાનુ પ્રેમજીભાઈ સાગઠીયા (૫૦) નામના બે વ્યક્તિને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના આમરણ ગામ પાસે આવેલ ડાયમંડનગરમાં રહેતા કાંતિભાઈ છગનભાઈ કાસુન્દ્રા (૫૩) નામના આધેડ ગામમાંથી વાડી બાજુ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આર્મીના ટ્રકે તેને ઠોકર મારતા ઈજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં ત્રાજપર ખાતે રહેતા મુન્નાભાઈ દિલીપભાઈ ડેડાણીયા નામના વ્યક્તિ બાઈક લઈને ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો હતો અને તેમાં મુન્નાભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસથી જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News