મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા બે વિસ્તારમાં મારામારી: ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE















મોરબીના જુદાજુદા બે વિસ્તારમાં મારામારી: ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબીના પાવન પાર્ક તથા વીસીપરામાં આવેલ આંબેડકરનગર સ્કૂલ પાસે મારામારીની બે ઘટના બની હતી જેમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંને બનાવની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરવામાં આવેલ છે

બનવાની મળતી માહિતી મુજબ મોરબીના પાવન પાર્કમાં રહેતા દીપક મનસુખભાઈ ચૌહાણ (૨૪) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મારામારીનો બીજો બનાવ મોરબીના વીસીપરા વિસ્તારમાં થાય હતો અને આંબેડકર નગર સ્કૂલ પાસે ભીમરાવનગરમાં રહેતા સંજય પ્રેમજી સાગઠીયા (૨૯) અને ભાનુ પ્રેમજીભાઈ સાગઠીયા (૫૦) નામના બે વ્યક્તિને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના આમરણ ગામ પાસે આવેલ ડાયમંડનગરમાં રહેતા કાંતિભાઈ છગનભાઈ કાસુન્દ્રા (૫૩) નામના આધેડ ગામમાંથી વાડી બાજુ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આર્મીના ટ્રકે તેને ઠોકર મારતા ઈજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં ત્રાજપર ખાતે રહેતા મુન્નાભાઈ દિલીપભાઈ ડેડાણીયા નામના વ્યક્તિ બાઈક લઈને ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો હતો અને તેમાં મુન્નાભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસથી જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News