બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં પત્ની અને સાસુને જમાઈએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન રમેશભાઈ પરમાર (૨૬) અને કવિતાબેન લાભુભાઈ ગોહેલ (૪૫) નામના બંને મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સુનીતાબેનના પતિ રમેશભાઈ પરમાર દ્વારા સુનીતાબેનને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સાસુ સવિતાબેનને પણ રમેશભાઈ દ્વારા મારવામાં આવ્યો છે જેથી કરીને ઇજા પામેલા બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા

મહિલા સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર પાસે મચ્છુનગર ખાતે રહેતા નીરૂબેન જયંતીભાઈ દેવીપુજક (૩૫) વાળાને ઘરે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની  મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News