બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા યોજાઇ, સબજેલ ખાતે પણ ઉજવણી


SHARE











મોરબી જીલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા યોજાઇ, સબજેલ ખાતે પણ ઉજવણી

મોરબી જીલ્લામાં દર વર્ષની જેમાં આ વર્ષ પણ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા સહિતના જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના સ્ટેશન રોડ ઉપરથી મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજના આગવેનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા જ્ઞાતિ સમાજ અને સંગઠનના લોકો પણ હાજર રહ્યા હતા અને મોરબીમાં શોભાયાત્રા નીકળી હતી ત્યારે મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર તેમજ મનુભાઈ સરેસા, ગૌતમભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા અને મોરબી નગરપાલિકાના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને ત્યાં શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આવી જ રીતે ભારત રત્ન, બંધારણ ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે ટંકારામાં તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શોભાયાત્રા નીકળી હતી અને આંબેડકર હોલ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

મોરબી સબજેલ ખાતે ઉજવણી

મોરબી સબ જેલ ખાતે દેશના પ્રથમ કાયદામંત્રી, ભારતના બંધારણ ધડવૈયા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે મોરબી સબ જેલના ઇન ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા તેમજ જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો દ્રારા ઉજવણી કરવામાં આવી હતી.

 






Latest News