મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે વિદ્યાર્થીના સ્કૂલ લિવિંગ સર્ટિમાં નિયમોને નેવે મૂકીને બાપનું નામ ફેરવી નાખ્યું !


SHARE















વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે વિદ્યાર્થીના સ્કૂલ લિવિંગ સર્ટિમાં નિયમોને નેવે મૂકીને બાપનું નામ ફેરવી નાખ્યું !

વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિઉ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

વાંકાનેરમાં આવેલ કીઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના જનરલ રજીસ્ટર નંબર ૩૮૬ પર તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામે ધોરણ સાતમાં પ્રવેશ આપેલ છે તે હકીકતમાં આ બાળક નિર્મલા ફોન્મેન્ટ સ્કૂલના જનરલ રજીસ્ટર નંબર ૨૬૭૧ પર મીંડા જેનિસ વિકાસભાઈના નામે નોંધાયેલ છે આ બાળકનું ધોરણ સાતનું અભ્યાસ ચાલુનું લવિંગ સર્ટી ૧/૭/૨૨ ના રોજ બાળકની માતા સુનિતાબેનને કઢાવ્યું હતું અને કિઝલેન્ડ સ્કૂલના ટ્રસ્ટી મેહુલ શાહના જણાવ્યા મુજબ સુનિતાબેન તેઓની શાળામાં આવેલા અને કહ્યું હતું કે મારા પતિ સાથે અણબનાવ હોય તમામ ઓરીજનલ આધાર પુરાવા એમની પાસે છે એટલે વિદ્યાર્થીનું નામ મીંડા જેનિસ વિકાસભાઈના બદલે તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામથી ધોરણ સાતમાં દાખલ કરેલ છે સમગ્ર શિક્ષા અભિયાનના પોર્ટલ પર તપાસ કરતા તેમાં પણ મીંડા જેનીશ વિકાસભાઈ જ નામ છે અને કિઝલેન્ડ દ્વારા બાળકનું ધોરણ આઠ પાસનું લિવિંગ સર્ટી તા. ૭/૬/૨૩ ના રોજ તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામથી કાઢી આપેલ છે તેમજ આ જ સ્કૂલમાં આ જ બાળકનું બીજું લિવિંગ સર્ટી મીંડા જેનીશ વિકાસભાઈના નામથી કાઢેલ છે આમ કિઝલેન્ડ સ્કૂલ દ્વારા નિયમોને નેવે મૂકીને વિદ્યાર્થીના નામમાં ફેરફાર કેમ કરેલ છે ? વિગેરે બાબતોની તપાસ માટે મોરબીમાં રહેતા તુલસીયાણી અશોકભાઈ કિશનચંદે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અરજી કરી હતી જેથી કરીને તપાસ કમિટીને તપાસ આપવામાં આવી હતી અને તેના અહેવાલ મુજબ કિઝલેન્ડ સ્કૂલમાં વિદ્યાર્થીના લિવિંગ સર્ટીમાં ગોટાળા થયા હોવાનું ખુલ્યું છે જેથી શાળાના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે






Latest News