બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ચા ની હોટલે બેઠેલા વૃદ્ધને અગાઉની માથાકૂટનો ખાર રાખીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીના આમરણ ગામે ચા ની હોટલે બેઠેલા વૃદ્ધને અગાઉની માથાકૂટનો ખાર રાખીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં ચા વાળાની હોટલે બેઠેલા વૃદ્ધને એક વર્ષ પહેલા થયેલ માથાકૂટનો ખાર રાખીને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા નાથાલાલ છગનભાઈ સાવરીયા જાતે અનુ. જાતિ (૬૩)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવાડીયા રહે. મૂળ ફળસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં રામાભાઇ ચા વાળાની હોટલ પાસે બેઠા હતા ત્યારે આરોપી ત્યાં પોતાનું બાઈક લઈને આવ્યો હતો અને એક વર્ષ પહેલા હનુમાનજી અને મહાદેવના મંદિરે આરોપી અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય જેથી તેને ત્યાંથી કાઢેલો હતો જે બાબતનો ખાસ રાખીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને જાહેરમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા હતા અને અપમાનિત કરીને ગાળો આપી હતી બાદમાં લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧) (આર) (એસ)૩(૨) (૫-એ) તથા GP ACT કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News