મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE







મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબીમાં સામાકાંઠે એલ.ઇ. કોલેજની બાજુમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં આગામી તા. ૪/૫ ના દિવસે વૈશ્વાનર વિભુના ૫૪૭ મો પ્રાગટ્ય દિવસ ઉજવાશે તેમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં પુષ્ટિ માર્ગના આરાધ્ય વૈશ્વાનર વિભુના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આગામી ચૈત્ર વદ-૧૧ ને તા. ૪ શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશ્વાનર વિભુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થવાની છે જેમાં સવારે ૭:૦૦ વાગ્યા જાગ્યાના દર્શન, સવારે ૭:૩૦ કલાકે મંગળા દર્શન, ૧૦:૦૦ કલાકે શ્રીંગાર દર્શન, ૧૦:૧૫ કલાકે પલના દર્શન, બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શન થશે. આ પ્રાગટ્ય પર્વ મહોત્સવ નિમિત્તે સવારે ૭:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને ૩:૩૦ થી ૬:૩૦ સુધી ઝારી ચરણ સ્પર્શ થશે. અને તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. અને ધાર્મિક મહોત્સવમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News