મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE











મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબીમાં સામાકાંઠે એલ.ઇ. કોલેજની બાજુમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં આગામી તા. ૪/૫ ના દિવસે વૈશ્વાનર વિભુના ૫૪૭ મો પ્રાગટ્ય દિવસ ઉજવાશે તેમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં પુષ્ટિ માર્ગના આરાધ્ય વૈશ્વાનર વિભુના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આગામી ચૈત્ર વદ-૧૧ ને તા. ૪ શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશ્વાનર વિભુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થવાની છે જેમાં સવારે ૭:૦૦ વાગ્યા જાગ્યાના દર્શન, સવારે ૭:૩૦ કલાકે મંગળા દર્શન, ૧૦:૦૦ કલાકે શ્રીંગાર દર્શન, ૧૦:૧૫ કલાકે પલના દર્શન, બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શન થશે. આ પ્રાગટ્ય પર્વ મહોત્સવ નિમિત્તે સવારે ૭:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને ૩:૩૦ થી ૬:૩૦ સુધી ઝારી ચરણ સ્પર્શ થશે. અને તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. અને ધાર્મિક મહોત્સવમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News