મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો મોરબીના રવાપર નજીક આવેલ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત: બોક્ડ થંભા નજીક પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE











મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબીમાં સામાકાંઠે એલ.ઇ. કોલેજની બાજુમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં આગામી તા. ૪/૫ ના દિવસે વૈશ્વાનર વિભુના ૫૪૭ મો પ્રાગટ્ય દિવસ ઉજવાશે તેમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં પુષ્ટિ માર્ગના આરાધ્ય વૈશ્વાનર વિભુના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આગામી ચૈત્ર વદ-૧૧ ને તા. ૪ શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશ્વાનર વિભુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થવાની છે જેમાં સવારે ૭:૦૦ વાગ્યા જાગ્યાના દર્શન, સવારે ૭:૩૦ કલાકે મંગળા દર્શન, ૧૦:૦૦ કલાકે શ્રીંગાર દર્શન, ૧૦:૧૫ કલાકે પલના દર્શન, બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શન થશે. આ પ્રાગટ્ય પર્વ મહોત્સવ નિમિત્તે સવારે ૭:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને ૩:૩૦ થી ૬:૩૦ સુધી ઝારી ચરણ સ્પર્શ થશે. અને તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. અને ધાર્મિક મહોત્સવમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News