મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો


SHARE













મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ધોરણ ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ગ્રાહક સુરક્ષા કાયદાના વિષયને અનુરૂપ નિષ્ણાત તજજ્ઞ પાસેથી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવવ્યુ હતુ.જેમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા શું છે ? ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે ? ગેરરીતિ કરનાર સામે કયા પ્રકારના કેસો થઈ શકે તે અંગે ડો.હરેશભાઈ સંઘવી દ્વારા માર્ગદર્શન અપાયું હતું.જેઓ આ કાયદાના એકેડેમીક ૧૭ વર્ષના અનુભવી તેમજ ગ્રાહક સુરક્ષા વિષય ઉપર પીએચડી કરેલ છે.

ડો.હરેશ સંઘવી દ્વારા ગ્રાહકોને નિભાવવાની થતી ફરજો અને અધિકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, અને જણાવ્યું હતું કે, હકીકતે ગ્રાહક બજારનો રાજા છે, જો તે પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સજાગ થાય તેમજ બજારમાં છેતરતા વેપારી તત્વો સામે ગ્રાહકો જાગૃત થઈ પોતાના અધિકારોનો ઉપયોગ કરે તો આ અનૈતિક કાર્યો અટકી શકે. તેમજ વધુ માહિતી આપતા જણાવેલ કે વસ્તુ અને સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિનો ભોગ બનનાર ગ્રાહકો માટે ગ્રાહક અદાલતના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય છે.જેનો દરેકે ઉપયોગ કરવો જોઈએ.માલ વેચનાર વ્યક્તિ જો નાણાં લીધા બાદ પણ વસ્તુ કે સેવા ન આપે તો એવા વ્યાપારીઓથી ગ્રાહકના રક્ષણ માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો છે.દરેક ગ્રાહકને તેના રૂપિયાનું ચોક્ક્સ અને વાજબી વળતર મળવું જોઈએ.

વેપારીઓ અને કંપનીઓ દ્વારા ગ્રાહકને છેતરાતા અટકાવવા ગ્રાહક સુરક્ષાના કાયદાનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ જાહેર હિતની અરજી કેવી રીતે કરવી તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વરમોરા તેમજ ડાંગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ હાજર રહીને માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓમાં આ પ્રકારના કાર્યક્રમો થતા રહે તે માટે પ્રેરણા પૂરી પાડી હતી.








Latest News