મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા


SHARE













વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઇલીન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ જાતે રાજપૂત (૩૪) નામના યુવાનનો  માટેલ રોડ ઉપર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને રાકેશકુમાર બબનસિંહ રાજપૂત (૨૫) રહે. લાઇકોસ સેનેટરી કારખાનામાં ઘુટું મૂળ રહે બિહાર વાળો વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં તેમની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ સુમરા (૫૫) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જવાના કારણે હસીનાબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે








Latest News