મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઇલીન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ જાતે રાજપૂત (૩૪) નામના યુવાનનો  માટેલ રોડ ઉપર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને રાકેશકુમાર બબનસિંહ રાજપૂત (૨૫) રહે. લાઇકોસ સેનેટરી કારખાનામાં ઘુટું મૂળ રહે બિહાર વાળો વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં તેમની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ સુમરા (૫૫) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જવાના કારણે હસીનાબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News