મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા


SHARE













વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઇલીન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ જાતે રાજપૂત (૩૪) નામના યુવાનનો  માટેલ રોડ ઉપર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને રાકેશકુમાર બબનસિંહ રાજપૂત (૨૫) રહે. લાઇકોસ સેનેટરી કારખાનામાં ઘુટું મૂળ રહે બિહાર વાળો વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં તેમની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ સુમરા (૫૫) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જવાના કારણે હસીનાબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News