મોરબી જીલ્લામાં ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારવા વેપારીઓને કલેક્ટરની તાકીદ
મોરબીમાં અડધી રાતે ઘરેથી નીકળી ગયેલ સગીરાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ
SHARE
મોરબીમાં અડધી રાતે ઘરેથી નીકળી ગયેલ સગીરાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ
વર્તમાન સમયમાં માતા પિતા સંતાનોને ઠપકો આપે તેઓ પણ સંતાનો ન કરવાના કામ કરે તેવું ઘણી વખત સામે આવે છે આવી જ રીતે માતાએ ઠપકો આપતા સગીરા ઘરેથી નીકળી ગયેલ હતી અને તેની જાણ મોરબી અભયમની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને અભયમની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું
મોરબી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ અડધી રાત્રે એક સજ્જન વ્યક્તિએ કોલ કર્યો હતો કે સગીરા ભૂલી પડી ગયેલ છે જેથી આ ટિમ તેની પાસે પહોચી હતી અને તે દીકરીને સંતાવના આપીને કાઉન્સિલિંગ કર્યું હતું અને આ દીકરીને ઘર કામ કરતા રકજક થયેલ અને તેની માતાએ ઠપકો આપેલ હતો જેથી કરીને માતાને જાણ ન થાય તે રીતે તે ઘરેથી નીકળી ગયેલ હતી અને બાદમાં સગીરાને આવી રીતે ઘરેથી ન નીકળવા માટે સમજવ્યું હતું અને તેના ઘરનું સરનામું જાણીને તેના ઘરે લઈ ગયા હતા અને સગીરાના માતા-પિતાને સગીરા સોપી આપી હતી.