મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રીમોનસૂન કામગીરીમાં બેદરકારી રાખનારા પાલિકાના અધિકારી-કર્મચારી સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ


SHARE















મોરબીમાં પ્રીમોનસૂન કામગીરીમાં બેદરકારી રાખનારા પાલિકાના અધિકારી-કર્મચારી સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકા દ્વારા હજુ સુધી પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને પ્રીમોનસૂન કામગીરી કરવામાં ધોરબેદરકારી દાખવનારા મોરબી પાલિકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે જોકે ચાલુ વર્ષે ચોમાસુ માથે આવીને ઊભું છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મોરબીમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેના જે રાજાશાહી વખતના વોંકળા છે તેની સાફ-સફાઈ કરવામાં આવી નથી અને તેમાં થઈ ગયેલા દબાણોને હટાવવા માટેની પણ લેસમાત્ર કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી ત્યારે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરવા અને ગંદકી થવી તે સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે અને ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ કરવા માટે થઈને ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવતા હોય જીવલેણ અકસ્માત સર્જાય તેવી પણ શક્યતાઓ હોય છે જેથી કરીને આવી ધોરબેદરકારી દાખવનારા મોરબી નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ છે અને તેની સાથોસાથ મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના જે વોંકળા આવેલ છે તેની તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરાવવામાં આવે તેની સાથે વરસાદી પાણીના નિકાલમાં કોઈપણ દબાણ હોય તે તમામ દબાણોને તોડી પાડવામાં આવે તેવી  માંગ છે






Latest News