મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને ન  કરવાનું કરી નાખ્યું : મોત


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને ન  કરવાનું કરી નાખ્યું : મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા યુવાનને હરસ મસા, લીવર, પિતાશય અને કિડનીની બીમારી હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને તેણે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા મનીષભાઈ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (૪૨) એ પોતે પોતાના ઘરની અંદર લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરેલ હતી જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના માતા ભારતીબેન ઘનશ્યામભાઈ મહેતા રહે.એજી ચોક પાસે ગૌરવપાર્ક રૂરલ હાઉસિંગ સોસાયટી કાલાવાડ રોડ રાજકોટએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી તેને હરસ મસાની તકલીફ હતી તે ઉપરાંત લીવર, પિતાશય અને કિડનીમાં પાણી ભરાવાની પણ બીમારી હતી જેથી કરીને તે કંટાળી ગયો હતો અને બિમારીથી કંટાળીને તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવી માહિતી હાલમાં તેના પરિવારજન પાસેથી મળી હોય પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિક્ષા પલટી

મોરબીના રંગપર ગામે રહેતા પારસુબેન અજયભાઈ દેવીપુજક (૩૦) નામના મહિલા રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રંગપર ગામ નજીક રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે 






Latest News