મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભુવા ધુણતા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે

છેલ્લા ઘણા સમયથી યુવાનો, વૃદ્ધો સહિતનાઓમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ગમે ત્યારે, ગમે તેને, ગમે તે જગ્યાએ હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા (૭૩) ધાર્મિક કાર્યક્રમની અંદર વાઘપર પીલુડી ગામે ધૂણતા હતા દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીના સામાકાંટા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાર્ટ એટેકના કારણે વૃદ્ધનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નરસી ભગવાનના પાઠનું આયોજન વાઘપર પીલુડી ગામે આવેલ નરસી ભગવાનના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા ધૂણતા હતા અને ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ તેઓને હાર્ટ અટેક આવતા તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જોકે હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજયું હતું






Latest News