વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું


SHARE













જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓની સેવા કરનારા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન દ્વારા ૨૫ જેટલા બિનવારસી અસ્થિઓનું જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં હિન્દુ ધાર્મિક વિધિ મુજબ શાસ્ત્રોક વિધિ સાથે સામૂહિક વિસર્જન તા ૨૩ ના રોજ કરાયું હતું. ત્યારે હસીનાબેન લાડકા, બસીરભાઈ લાડકા અને પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન વિશ્વરાજસિંહ જાડેજા મોરબીથી ૨૫ બિનવારસી અસ્થિઓ લઈને જૂનાગઢના દમો કુંડ ખાતે પહોચ્યા હતા અને ત્યારે અસ્થિઓનું સામૂહિક વિસર્જન કર્યું હતું સાથોસાથ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે






Latest News