મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકા સોસાયટીમાં પાલિકાએ બંધ કરાવેલ કામનો બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને રજૂઆત !


SHARE













મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકા સોસાયટીમાં પાલિકાએ બંધ કરાવેલ કામનો બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને રજૂઆત !

મોરબીના રવાપર રોડ ઉપર વ્રજ વાટીકા સોસાયટી આવેલ છે તેના રહેણાકના પ્લોટ ઉપર કોમર્શિયલ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કામને તો ઘણા સમય પહેલા બંધ કરાવવામાં આવ્યું છે જો કે, આજની તારીખે પણ બિલ્ડરો દ્વારા ખોદવામાં આવેલ ખાડો બુરવામાં આવેલ નથી જેથી કરીને ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોએ હાલમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડાનું બુરાણ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ દાવાના નામથી મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જ વાટીકા સોસાયટીમાં નકશામાં ચેડાં કરીને ગેરકાયદે રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કરીને ગત તા ૭ ડિસેમ્બર ના રોજ પાલિકા દ્વારા આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવેલ છે જો કે, બિલ્ડરો દ્વારા જે ખાડો બાંધકામ માટે ખોદવામાં આવ્યો હતો તેને હજુ સુધી બુરવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં આ મુદાને લઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ મોરબીમાં તેમજ તાજેતરમાં રાજકોટમાં બનેલ દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના આ ખાડાના લીધે સર્જાય તેની તંત્ર રાહ જોવે છે કે શું તેવો સવાલ પણ કરેલ છે અને ચોમાસામાં કોઈ પણ દુર્ઘટના આ ખાડાના લીધે થશે તો તેની જવાબદારી તંત્ર વાહકોની રહેશે તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે






Latest News