મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ

મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે જેથી પાણી પ્રાથમિક સુવિધામાં આવતું હોવાથી ત્યાં રહેતા લોકોને પણ સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની ચીફ ઓફિસરને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ચીફ ઓફીસરને જે રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નજરબાગ પાસે આવેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી લઈને મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારો પાણી આપવામાં આવે છે જો કે, તંત્રની બેદરકારીના કારણે પાણીની સુવિધા સારી નથી અને પાણી સમયસર અને પૂરત પ્રમાણમાં આવતું નથી. જેથી આ વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શનો આપવામાં આવેલ છે. જો કે, વાલ્વનો પશ્ન મુખ્ય હોય લોકોને પાણી મળતુ નથી. જેના કારણે પાણી માટે હેરાન છે ત્યારે નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપ લાઈન મારફતે પાણી મળે તેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને આ રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક પાણીનો પશ્ન હલ કરવામાં નહીં આવે તો ના છુટકે જનઆંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News