મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે અહીના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને આ નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે તે કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે જેથી કરીને તેનું ૯ કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવ્યું છે ત્યારે આ રિપેરિંગ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેનું ચેકિંગ ધારાસભ્ય દ્વારા શુક્રવાર કરવામાં આવશે ત્યાં પછી જ પાણી કેનાલમાં છોડવા માટેની સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદાની કેનાલના રિપેરિંગ બદલ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે જો કે, ઢાંકીથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તે માળીયા સુધી આવે તેના માટે સરકારે ૯ કરોડના ખર્ચે રિપેર કામ કરાવ્યુ છે જો કે, કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તે હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ટિકરથી ઉપરના ભાગમાં ચેક કરશે અને તેઓ ટીકરથી ઘાટીલા સુધી કેનાલનું ઈન્સ્પેક્શન કરશે અને તેની માહિતી મેળવશે અત્રે ઉલેખનીય છે કે, કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને પાણી ન મળ્યું તો પણ જે સંયમ ખેડૂતોએ રાખ્યો હતો તેના માટે ધારાસભ્યએ ખેડૂતોનો પણ આભાર માન્યો હતો અને શુક્રવારે સવારે ૮:૩૦ વાગ્યે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને ભાજપના કાર્યકરો ટીકર ખાતે કેનાલ પર એકઠાં થઈને ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરવા માટે જશે જેમાં ખાસ કરીને ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરી વિગેરે કેવી કરવામાં આવેલ છે તેને ચેક કરીને તેની માહિતી સરકારમાં સોમવારે આપશે પછી કેનાલમાં ઝડપથી પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવશે






Latest News