મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !
મોરબીની જવેનાઈલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન મુકત કર્યો
SHARE









મોરબીની જવેનાઈલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન મુકત કર્યો
મોરબી જીલ્લાની જવેનાઈલ કોર્ટે હળવદ તાલુકાના ઈશ્વનગર ગામની સીમમાથી અપહરણ તથા પોકસોના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો હતો.
હળવદ તાલુકામાંથી ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની તથા પોકસો એકટની કલમ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કિશોરની પૂછપરછ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબી જુવેનાઈલ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી જેમાં તેની ધારદાર કાયદાકીય દલીલને ધ્યાને લઈને કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.
