મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાના ચાલુ કામનું નિરીક્ષણ કરવા પહોચ્યા ધારાસભ્યો


SHARE













મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાના ચાલુ કામનું નિરીક્ષણ કરવા પહોચ્યા ધારાસભ્યો

મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવા માટેનું કામ ચાલી રહ્યું છે અને તે કામ કરવા માટે ડેમમાં રહેલ પાણીને નદીમાં છોડી દેવમાં આવ્યું હતું જેથી કરીને મોરબીમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ડેમ ઉપર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોચાયા હતા અને લોકોને નિયમિત પાણી મળે તેના માટે અધિકારીઓને  જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ધારાસભ્યો જયારે ડેમ ઉપર કામનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા ત્યારે પાણી પુરવઠા બોર્ડ, સિંચાઇ વિભાગ અને પાલિકાના અધિકારીઓએ ત્યાં હાજર રહ્યા હતા અને હાલમાં જે પાણીની મોટરો મૂકીને પીવાનું પાણી પહોચડવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપી હતી તેમજ આગામી દિવસોમાં વધુ મોટરો ડેમ ઉપર મૂકીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હતી




Latest News