મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ માટેલીયા ધરામાં કાર ખાબકી, પાંચ લોકોનો આબાદ બચાવ


SHARE













વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને કાર લઈને આવેલા લોકોની કાર માટેલીયા ધરા પાસે પાર્ક કરીને મૂકી હતી દરમિયાન કારચાલકે કારમાં બ્રેક ના બદલે ભૂલથી લીવર દબાવી દેતા કાર સીધી ધરામાં ખાબકી  હતી જોકે, રામાં હાલ પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા ચારથી પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને ગુજરાત અને ગુજરાત બહારથી અનેક ભક્તો આવતા હોય છે તેવી જ રીતે કાર લઈને ચારથી પાંચ લોકો આજે માટેલ ગામે માતાજીના દર્શન કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે ધરાની નજીક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને મૂકી હતી. જે કારમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠા હતા અને કાર ચાલકે કારને બ્રેક લગાવવાના બદલે ભૂલથી લીવર લગાવી દેતા કાર સીધી જ માટેલીયા ધરામાં ખાબકી હતી જોકે કાર ધરામાં પડી ત્યારે તેમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠેલા હતા પરંતુ હાલ ધરામાં પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે






Latest News