હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર નજીકથી અજાણ્યા યુવાનની હત્યા, બે શખ્સ સામે ફરિયાદ: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE













વાંકાનેરના જામસર નજીકથી અજાણ્યા યુવાનની હત્યા, બે શખ્સ સામે ફરિયાદ: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી થોડા દિવસો પહેલા અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હતા જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાર બાદ હાલમાં આ બનાવમાં બે શખ્સોની સામે હત્યાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને મહિલાઓની સામે ન સમજાય તેવી મૃતક ભાષા બોલતો હતો અને જવનું કહેવા છતાં જતો ન હતો જેથી તેને લાકડી અને દોરડા વડે માર મારતા તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું.

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા પથુભાઈ દેલવાણીયાએ ગત તા 24/6 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કેજામસર ગામ નજીક લખમણભાઇ રૂપાભાઈના મકાન પાસે ખેતરમાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડેલ છે જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનની બોડી ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. આ બનાવમાં હાલમાં જામસર ગામે રહેતા પથુભાઇ ભનુભાઇ દેલવાડીયા જોત કોળી (46)ની ફરિયાદ લઈને પોલીસે પ્રભુભાઇ લાલજીભાઇ દંતેસરીયા અને અશોકભાઇ નથુભાઇ દેલવાડીયા રહે. બંને જામસર વાળાની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં જણાવ્યુ છે કે, જેની હત્યા કરવામાં આવેલ છે તે અજાણ્યો યુવાન ખેતર નજીક મહીલાઓ સામે જોઇ ન સમજાય તેવી ભાષા બોલતો હતો જેથી તેને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું હતું તો પણ તે ગયો ન હતો. જેથી આરોપી પ્રભુભાઇ દંતેસરીયાએ તેને લાકડીથી માર માર્યો હતો અને અશોકભાઇ દેલવાડીયાએ દોરડા વડે માર માર્યો હતો જેથી તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે. જેથી પોલીસે હત્યાના ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રોગતિમાન કરેલ છે.






Latest News