હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો વાંકાનેરના ખીજડીયા ગામે ઘરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: માળીયા (મી)ના ખીરાઇ ગામ નજીકથી 1600 લિટર આથો ઝડપાયો મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે: મોરબીમાં ઢોર પકડવાની ટ્રૉલીમાં બુલેટ ચડાવીને મહાપાલિકાના સ્ટાફ અને પોલીસને ધમકી ! વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આકાશી વીજળી પડતાં મૃત્યુ પામેલા ખેત શ્રમિક પરીવારને ૪ લાખની સહાય ચુકાવાઇ


SHARE











મોરબી જિલ્લામાં આકાશી વીજળી પડતાં મૃત્યુ પામેલા ખેત શ્રમિક પરીવારને ૪ લાખની સહાય ચુકાવાઇ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જોગડ ગામે આકાશી વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. જેને સહાય અપાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. વહીવટ તંત્રના પ્રયાસો અને સરકારની સંવેદનશીલતાથી ખેત શ્રમિકના પરીવારને રાજ્ય સરકાર દ્વારા ૪ લાખની સહાય આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના જોગડ ગામે ગત તા. ૨૬/૬/૨૦૨૪ ના દિવસે વીજળી પડવાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવમાં આકાશી વીજળી પડતા ખેત શ્રમિક અનિલભાઈ અર્જુનભાઈ નાયકનું અવસાન થયું હતું. આ ઘટનામાં કુદરતી આપત્તિ સહાય યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી છે, જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરી મૃતકના વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. મોરબીના અધિકારીઓએ વડોદરા જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરી મૃતકના ઘર સુધી પહોંચીને મૃતક અનિલ અર્જુનભાઈ નાયકના માતા જ્યોત્સનાબેન અર્જુનભાઈ નાયકને ૪ લાખની સહાય ચૂકવી હતી






Latest News