ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો


SHARE













મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો

મોરબી જિલ્લામાં ૫ વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા છે જો કે, તેઓને વળતર મળેલ નથી અને હાલમાં ૨૫ જેટલા સીલીકોસીસ બીમારીથી પીડાઈ રહ્યા છે તો પણ તેઓને કોઈ મદદ મળી રહી નથી તે બાબત ત્યારે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા માનવ અધીકાર પંચ સમક્ષ ગત ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની બેઠકમાં સીલીકોસીસની ફરીયાદ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને ઔધ્યોગિક સલામતી અને આરોગ્યને ૬ અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. અને પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ છ અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા વધુ એક તક આપી છે. હવે ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે પોતે લીધેલા પગલાં અને તેમાં મળેલ ઘોર નિષ્ફળતાના કારણો પંચને જણાવી આગામી દીવસોમાં આ બાબત શું કરવાના છે તેની વીગત આપવા માટે સીલીકોસીસ પીડિત સંઘની યાદીમાં જણાવ્યું છે.






Latest News