મોરબીના અમરનગર પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત: ગુનો નોંધાયો
મોરબીના ઉદ્યોગપતિએ ધરતીમાતાનું ઋણ અદા કરવા વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો
SHARE
મોરબીના ઉદ્યોગપતિએ ધરતીમાતાનું ઋણ અદા કરવા વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો
आओ एक नया निर्माण करे, पेड़ो से धरती का श्रृंगार करे ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતી મોરબીની ટીમ ગ્રીન આર્મીના પાયાના પથ્થર કિરીટભાઈ પરેચા કે જેઓ નખસીખ પ્રકૃતિપ્રેમી છે. કિરીટભાઈના મોટા ભાઈ ધીરજલાલ જેરામભાઈ પરેચાના 51 માં જન્મદિવસે પરેચા પરિવાર અને ટીમ ગ્રીન આર્મીએ સાથે મળીને 51 વૃક્ષનું ધરતીમાતાની ગોદમાં રોપણ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.દિવસેને દિવસે પૃથ્વી ઉપર તાપમાનનો પારો ઉપરને ઉપર ચડતો જાય છે.તેનાથી સમગ્ર સુષ્ટિનું રક્ષણ કરવા તથા પ્રકૃતિમાતાનું ઋણ ચુકવવાના હેતુસર ધીરજલાલ પરેચાએ જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.