પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામમાં સદ ગુરુદેવ કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ કથા આગામી સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે યોજાશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી તા .૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સમર્થ ગુરુદેવ કેશવાનંદબાપુના સમાધિના ૨૫ મા વર્ષ (રજત જયંતિ) ના ઉપલક્ષ્યમાં ગુરુદેવની ઇષ્ટ ભૂમિ સીતારામ બાપુની કર્મભૂમિ તથા કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પરમાર્થ ભૂમિમાં પિતૃમોક્ષના દિવસો શ્રાદ્ધપક્ષમાં તા.૧૯ સપ્ટેમ્બર ભાદરવા વદ એકમથી તા.૨૫ સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપર જગતગુરૂ દ્વારાચાર્ય મલૂક પીઠાધીશ્વર ગૌ પ્રેમી સંત સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમયી વિરક્ત વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.

આ કથાના શ્રવણનો આનંદ લેવા આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે. આ કથા તા.૧૯-૯ ના રોજ બપોરે ૩ કલાકે તેમજ નિત્ય કથા તા.૨૦ થી ૨૫ સપ્ટેમ્બર દરરોજ સવારે ૯ થી ૧ યોજાશે. અને કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા પોથી નોંધાવવા માટે તેમજ અન્ય કોઈપણ પ્રકારની સેવામાં સહયોગી થવા માટે આશ્રમના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યુ છે. અને વધુ માહિતી માટે મોબાઈલ નં. ૬૨૫૨૪ ૭૫૩૪૭૯૮૨૫૨ ૬૪૫૨૪૯૬૬૪૯ ૫૧૨૦૩૯૮૨૫૨ ૮૬૬૬૯૮૫૧૧૦ ૫૭૯૩૩૯૬૨૪૦ ૪૪૧૦૦૯૬૩૮૦ ૨૨૫૬૮૯૮૯૮૮ ૪૨૩૧૨૮૧૬૦૦ ૬૪૮૬૬ અથવા ૯૯૧૩૯ ૨૧૩૪૦ ઉપર સંપર્ક કરવા ખોખરા હનુમાન હરિહરધામ આયોજન સમિતિએ યાદીમાં જણાવેલ છે.






Latest News