મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !


SHARE













વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેર પી.આઈ. પર વાંકાનેર તાલુકાનાં ખાંભાળા પાસે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે અને પ્રજાની સુરક્ષા ની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર જ ખુદ સલામત નથી! તેવો ઘાટ જોવા મળ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી.જી.સરવૈયા અને તેની ટીમ વાંકાનેર તાલુકાનાં ખાંભાળા ગામે કોઈ બાબતની તપાસ અર્થે ગયા હોય કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર પી.આઈ. બી.જી. સરવૈયા અને અન્ય એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં પી.આઈ.ને માથાનાં ભાગે ઈજા પહોંચી હોય વાંકાનેરની પીરમશાયખ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જોકે આ બાબતે કવરેજ માટે પહોંચેલા પત્રકારોને ઈજાગ્રસ્ત પી.આઈ.ની તસવીરો લેવા ન દેવાઈ હતી અને કઈ જ બનાવ ન બન્યો હોય તેમ કોઈ વિગત પણ આપવામાં આવી ન હતી ત્યારે વાંકાનેર પંથકમાં હવે પોલીસ અધિકારીઓ પણ સલામત નથી તો આમ પ્રજાની સલામતિનું શું? તેવી દહેશત સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં.




Latest News