મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !


SHARE













વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેર પી.આઈ. પર વાંકાનેર તાલુકાનાં ખાંભાળા પાસે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે અને પ્રજાની સુરક્ષા ની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર જ ખુદ સલામત નથી! તેવો ઘાટ જોવા મળ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી.જી.સરવૈયા અને તેની ટીમ વાંકાનેર તાલુકાનાં ખાંભાળા ગામે કોઈ બાબતની તપાસ અર્થે ગયા હોય કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર પી.આઈ. બી.જી. સરવૈયા અને અન્ય એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં પી.આઈ.ને માથાનાં ભાગે ઈજા પહોંચી હોય વાંકાનેરની પીરમશાયખ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જોકે આ બાબતે કવરેજ માટે પહોંચેલા પત્રકારોને ઈજાગ્રસ્ત પી.આઈ.ની તસવીરો લેવા ન દેવાઈ હતી અને કઈ જ બનાવ ન બન્યો હોય તેમ કોઈ વિગત પણ આપવામાં આવી ન હતી ત્યારે વાંકાનેર પંથકમાં હવે પોલીસ અધિકારીઓ પણ સલામત નથી તો આમ પ્રજાની સલામતિનું શું? તેવી દહેશત સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં.






Latest News