Morbi Today
મોરબીમાં જીઆઇડીસીથી છાત્રાલય સુધી ગટરના ગંદા પાણીના લીધે લોકો ત્રાહિમામ
SHARE










મોરબીમાં જીઆઇડીસીથી છાત્રાલય સુધી ગટરના ગંદા પાણીના લીધે લોકો ત્રાહિમામ
મોરબીના શનાળા રોડે જીઆઇડીસીમાં શેરી નં-3 પનારા માર્બલ વાળી શેરીમાંથી છાત્રાલય સુધી ગટરના ગંદા પાણી ઉભરાઇ છે અને અતિશય દુર્ગંધ આવે છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આના માટે પાલિકામાં રજૂઆતો કરેલ છે તો પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરવા જેવી ગંભીર બાબત કહી શકાય તેમ છે. આ વિસ્તારના લોકો, દુકાનદારો સહિતનાઓને નાછૂટકે હાલમાં ગટરના પાણીમાંથી ચાલીને જવું પડે છે. અને ચોમાસામાં ભારે વરસાદ પડે તો પણ મુશ્કેલીમાં વધારો થાય તેમ છે જેથી કરીને મોરબી નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ ગટરની સફાઈ કરાવવી જોઇએ તેવી સ્થાનિક લોકો સહિતનાઓએ માંગ કરી છે.

