મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી


SHARE













મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી

મોરબીમાં વર્ષો જુના રહેવાસી અને ખોડીયાર મઢૂલી પરીવારના નામ થી જેમની ઓળખ છે તેવા અનિલકુમાર ધીરજલાલ કારીયાને પોતાના ધંધાકીય ઉપયોગ માટે વર્ષો પહેલાં બજારલાઈન (સોની બજાર) લાલબંબા શેરી પાસે મોરબી સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીની માલિકીનું ગોડાઉન ભાડે રાખેલ અને આશરે ૫૦ વર્ષથી નિયમિત ભાડુ ચુકવી રહ્યા હતા ત્યારે અનિલભાઈ કારીયા પોતે છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી ધંધામા નિવૃત થાય અને આજે પોતે તેમના પરીવારને કીધું કે આપણું આ ગોડાઉનના મુળ માલીક સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીનું છે અને આપણે આટલા વર્ષોથી ત્યાં ધંધો કરી સુખી થયા છીએ અને હવે ઠાકોરજીની ખુબ કૃપા છે તો આપણે આ મિલ્કત એકપણ રૂપિયો લીધા વિના કે કોઈપણ જાતની વિનાશરતે આપણે હવેલીને પાછી સોંપી દેવી છે. ત્યારે પરીવારનાં સ્ભયોએ ખુબ રાજી થઆઇને મિલ્કતનાં ભાડુઆતે હવેલીએ સામેથી જઈને મુખ્યાજીને કીધું કે લ્યો આ ચાવી ઠાકોરજીને અર્પણ કરું છું. આ તકે હવેલીનાં મુખ્યાજી, ટ્રસ્ટી અને સમગ્ર વૈષ્ણવ સમાજના લોકોએ અનિલકુમાર ધીરજલાલ કારીયા અને ખોડીયાર મઢુલી પરીવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News