મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીની 40 જેટલી સોસાયટી અને 12 ગામના લોકોને પુનઃ નર્મદાની લાઇનમાંથી મળશે પાણી: ધારાસભ્ય


SHARE













મોરબીની 40 જેટલી સોસાયટી અને 12 ગામના લોકોને પુનઃ નર્મદાની લાઇનમાંથી મળશે પાણી: ધારાસભ્ય

મોરબીના પંચાસર રોડ, નાની કેનાલ અને બાયપાસ રોડે આવેલ એક કે બે નહી પરંતુ 40 જેટલી સોસાયટી અને મોરબીની આસપાસના 12 ગામોને નર્મદાની મોરબીથી જામનગર થઈને દ્વારકા સુધી જતી પાણીની લાઇનમાંથી વર્ષ 2008 થી પાણી આપવામાં આવે છે જો કે, આ કનેક્શન જૂનું થઈ ગયેલ હોવાથી તેના મેન્ટેનન્સ માટે ખોલવામાં આવ્યું હતું ત્યારે બાદ નર્મદા નિગમના અધિકારીઓએ દ્વારા વર્ષોથી જે રીતે કનેક્શન હતું તે રીતે કનેક્શન આપવાના બદલે એરવાલ્વ ઉપરથી કનેક્શન આપવામાં આવ્યું હતું જેથી કરીને પૂરતા પ્રમાણમા પાણી આવતું ન હોવાથી લોકોને પાણી માટે હેરાન થવું પડી રહ્યું હતું.

મોરબીની ઘણી સોસાયટીમાં લોકોને ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું હતું જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેનું કામ હાથ ઉપર લીધું હતું અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની સાથે વાતચીત કરીને વર્ષ 2008 થી જે રીતે મોરબી અને આસપાસના ગામના લોકોને પાણી પાઇપ લાઇન મારફતે મળી રહ્યું હતું તેવી જ રીતે પાણી આપવા માટેની સૂચના આપી હતી અને ત્યારે બાદ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને સાથે રાખીને તે સ્થળ ઉપર ગયા હતા અને અગાઉ જે રીતે પાણીનું કનેક્શન હતું તે રીતે જ કનેક્શન આપીને પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા માટેનું કામ કરાવ્યુ હતું અને આજે સાંજ સુધીમાં પાણીનું કનેક્શન આપી દેવામાં આવશે જેથી કરીને આવતીકાલથી પાણીનો પ્રશ્ન 40 હજાર જેટલા લોકો માટે ઉકેલાઈ જશે તેવી ધારાસભ્ય અને અધિકારી પાસેથી જાણવા મળેલ છે. 






Latest News