મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવેલ હોય 600 કિલો કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3.60 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ તપોવન રેસીડેન્સીમાં કશ્યપ પેલેસ બ્લોક નં- 702 માં રહેતા પાર્થભાઈ અનિલભાઈ લોરીયા જાતે પટેલ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના તેના કારખાનામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. અને 400 મીટર જેટલો કોપર વાયર જેની વજન 600 કિલોગ્રામ થાય છે અને તેની કિંમત 3.60 લાખ થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં છરી મારીને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર પાસે આવેલ વી-સ્ટાઇલ નામના કારખાનાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી તવાઈસિંગ લખુસિંગ ચૌહાણ (19) નામના યુવાનને છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જનકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News