મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવેલ હોય 600 કિલો કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3.60 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ તપોવન રેસીડેન્સીમાં કશ્યપ પેલેસ બ્લોક નં- 702 માં રહેતા પાર્થભાઈ અનિલભાઈ લોરીયા જાતે પટેલ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના તેના કારખાનામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. અને 400 મીટર જેટલો કોપર વાયર જેની વજન 600 કિલોગ્રામ થાય છે અને તેની કિંમત 3.60 લાખ થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં છરી મારીને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર પાસે આવેલ વી-સ્ટાઇલ નામના કારખાનાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી તવાઈસિંગ લખુસિંગ ચૌહાણ (19) નામના યુવાનને છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જનકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News