નંદ ઘેર આનંદ ભયો: મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં જન્માષ્ટમી પર્વ ધામધુમથી ઉજવાયો
SHARE
નંદ ઘેર આનંદ ભયો: મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં જન્માષ્ટમી પર્વ ધામધુમથી ઉજવાયો
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કૅમ્પસને ગોકુળની જેમ સજાવ્યું હતું. અને બાલવાટિકાથી કૉલેજ સુધીનાં બાળકોએ શ્રીક્રુષ્ણ, બલરામ અને રાધાના વેશમાં આકર્ષણ જમાવ્યું હતું. બાલગોપાલને ટોપલામાં મૂકી વસુદેવ સાથે બધાં શોભાયાત્રામાં જોડાયાં હતા અને મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાસ રજૂ થયા હતા અને બાળ કૃષણ સાથે જોડાયેલ ગોપુરમ- કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા તેવી જ રીતે કે.જી. થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી ફોડના કાર્યક્રમ થયા હતા આ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કરેલ હતો અને આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.