મોરબીના જુના નાગડાવાસ ગામે યુવાને અંતિમ પગલું ભરી લીધું, પરિવાર ગમગીન
મોરબીમાં મોટર ચાલુ કરતા શોટ લાગતા યુવાનનું મોત
SHARE
મોરબીમાં મોટર ચાલુ કરતા સમયે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબીમાં રેલ્વે સ્ટેશનની પાછળ આવેલા રોહીદાસપરા વિસ્તારમાં મોટર ચાલુ કરતા સમયે શોટ લાગવાથી યુવાનનુ મોત નીપજ્યું હતું.જ્યારે મોરબીમાં પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા આધેડને બીમારી સબબ સિવિલએ સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરિવારનો સોહીલ દિલીપભાઈ ચૌહાણ નામનો 18 વર્ષનો યુવાન ગઈકાલ તારીખ 25-8 ના રોજ તેઓના ઘરે હતો.ત્યારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં પાણીની મોટર ચાલુ કરવા જતા સમયે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી કરીને તેનું મોત નીપજત્તા મૃતદેહને પીએમ માટે સિવીલએ લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
સારવાર દરમિયાન મોત
મોરબીના પાડાપુલની નીચે મચ્છુ નદીના પટમાં મણિ મંદિરની સામેના ભાગે રહેતા અનુભાઈ સવજીભાઈ મારું નામના 52 વર્ષના આધેડને ગત તારીખ 21-8 ના રોજ 108 વડે સારવાર માટે સિવિલએ લાવવામાં આવ્યા હતા.જેઓનું સારવાર દરમિયાન ગઈકાલ તારીખ 25-8 ના રોજ મોત નીપજ્યું હતું.