માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં દિવાળીના તહેવારો પર જ જાહેર માર્ગો પર ગટરના પાણીના તળાવો..!


SHARE

















મોરબીમાં દિવાળીના તહેવારો પર જ જાહેર માર્ગો પર ગટરના પાણીના તળાવો..!

 

વેપારીઓ-રહેણાંકવાસીઓ પરેશાન :ચિત્રકુટ સિનેમા પાછળના વિસ્તારમાં ત્રાસ


મારુ મોરબી સ્વચ્છ મોરબીના નારા લગાવતી ભાજપ શાસિત મોરબી પાલિકામાં દિવાળીના તહેવારોના દિવસોમાં જાહેર માર્ગો પર ભુગર્ભ ગટરના પાણીના તલાવડાથી વેપારીઓ, રહેણાંકવાસીઓ રાહદારીઓને ખરીદી કરવા જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ચિત્રકુટ સિનેમા પાછળ શેરીમાં મેઇન રોડ પર છેલ્લા ઘણાં સમયથી ભુગર્ભ ગટરો ઉભરાવાનો પ્રશ્ર્ન છે. અહીંયા શેરીમાં રહેતા રહેણાંકવાસીઓને મેઇન રોડનાં વેપારીઓ ગટરના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દિવાળીમાં ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. આ રોડ પર ફર્નિચર, ફૂટવેર,મોબાઈલ સહિતના વેપારીઓ છે. પાલિકામાં અવારનવાર રજૂઆતો કરી છે છતા પ્રશ્ર્ન અધ્ધરતાલ છે. તાકીદે ઉભરાતી ગટરો બંધ કરવા માંગ કરી રહ્યા છે.




Latest News