મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડમાં આગથી સવા કરોડથી વધુનું નુકશાન: ખેડૂતો-વેપારીઓને તાત્કાલિક વળતર ચૂકવવા લલિત કગથરાની માંગ


SHARE













મોરબી માર્કેટ યાર્ડમાં આગથી સવા કરોડથી વધુનું નુકશાન: ખેડૂતો-વેપારીઓને તાત્કાલિક વળતર ચૂકવવા લલિત કગથરાની માંગ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના સેમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતોનો લગભગ ૧૨ હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે પાલિકાના ત્રણ ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ આગ કાબુમાં ન હોવાથી આસપાસના બીજા શેની અંદર પટેલ કપાસ સહિતના જણસ પણ આગની ઝપેટમાં આવી જાય તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળતી હતી અને આ આગના લીધે સવા કરોડથી વધુનું નુકશાન હોવાનું જાણવા મળ્યું છે

આગામી દિવસોમાં દિવાળી આવી છે જેથી કરીને માર્કેટિંગ યાર્ડ તારીખ બે થી બંધ થવાનું હતું જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલાં પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવે અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરી શકે તે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા અને તેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો કપાસ લાવ્યા હતા આવ્યા હતા દરમિયાન કોઈ કારણસર બપોરના અરસામાં કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને આગની ઝપેટમાં જોતજોતામાં યાર્ડના સેડ નંબર ૧ ની અંદર મૂકવામાં આવેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ત્રણ તાલુકાના ખેડૂતો ૫૦ થી લઈને ૨૦૦ મણ સુધીનો કપાસ લઇને પોતાનો માલ વેચવા માટે આવ્યા હતાં અને આગ લાગવાના કારણે ખેડૂતો માલ બળીને ખાખ થઇ ગયો છે જેથી કરીને સવા કરોડથી વધુનું નુકશાન થયેલ છે

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અમુક કપાસની હરાજી કરવામાં આવી હતી જોકે જોખીને તે લેવામાં આવ્યો ન હતો જેથી કરીને વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવેલ કપાસ હજુ તેઓએ લીધેલ ન હતો જેથી કરીને ખેડૂતો અને વેપારી બંનેને નુકશાન થયેલ છે જો ફાયર સેફ્ટીની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવે છે પરંતુ અહીંયાં ફાયર સેફટીના નામે શૂન્ય હોય તેવું જોવા મળ્યું હતું અને મોરબી નગરપાલિકાના ત્રણ ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો જોકે આગને કાબુમાં લેવામાં સમય લાગવાના કારણે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધારાસભ્ય લલિતભાઈખેડૂતો તેમજ જે વેપારીઓનો માલ આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે તેઓને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી




Latest News