મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE

















મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લામાં ભારે વરસાદના લીધે નુકશાન થયું છે તે જગ જાહેર છે ત્યારે સર્વે કરવાને બદલે આપતિ અધિનિયમ-૨૦૦૫ કાયદા હેઠળ મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે ખેતીવાડી તથા જાનમાલને થયેલ નુકશાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી સુધી રકુયાત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીનાઓને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં અતિવૃષ્ટીના કારણે સમગ્ર મોરબી જીલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નદી, તળાવ તથા ડેમમાંથી અચાનક પાણી છોડવાથી ખેતીની જમીનોનું ધોવાણ થઈ ગયેલ છે અને ઉભેલ પાક નિષ્ફળ ગયેલ છે તથા રોડ રસ્તાઓ તુટી જવાના કારણે અમુક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયેલ છે. તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ગરીબ પરીવારોના મકાનો તથા જાનમાલને પારાવાર નુકશાની થયેલ છે. જેના કારણે સમગ્ર મોરબી જીલ્લામાં ખેડુતો તથા ગરીબ પરીવારોને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે.

હાલમાં મોરબી જીલ્લાની સમગ્ર પ્રજા આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન હોય, તમામ લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલ હોય, આ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે રોડ-રસ્તાઓ રીપેર કરાવવા તથા ખેડુતો, ગરીબ પરીવારો અને અસરગ્રસ્ત લોકોને આપતિ અધિનિયમ-૨૦૦૫ કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર યુધ્ધના ધોરણે સરકારી સહાય અને રાહત આપવા તથા સ્થળાંતર કરેલ ગરીબ લોકોને તેના પડી ગયેલ મકાનને રીપેર કરાવી તેને પુનઃ વિસ્થાપન કરાવવા તેમજ તેમને આર્થિક મદદ માટે રોકડ સહાય ચુકવવામાં આવે તેવી સમગ્ર મોરબી જીલ્લાની પ્રજા વતી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે.




Latest News