રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી 


SHARE











મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી 

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર ગુરુવારે સાંજે અચાનક ભારે પવનના લીધે એક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તે વૃક્ષ ત્યાથી પસાર થતી કાર ઉપર પડ્યું હતું. જેથી કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓ તેમાં ફસાઈ ગયા માટે તાત્કાલિક આજુબાજુમાં હાજર રહેલા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કર્મા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને આ બનાવની મનપાના ફાયસ વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ ત્યાં ઘટનાસ્થળે આવી હતી અને ફાયર ફાઈટરોએ કટર અને અન્ય સાધનોથી વૃક્ષની ડાળીઓને કાપી નાખી હતી અને કારને ત્યાંથી બહાર કાઢી હતી. અને કારમાં સવાર પાંચેય વ્યક્તિઓને આ બનાવમાં નજીવી ઇજા થઈ હતી તેવા માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે. અને મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ભારે પવનના લીધે અગાસી ઉપર મૂકવામાં આવેલ પાણીની ટાંકીઓ ખાલી હોવાથી ઉડવા લાગી હતી જો કે, આ બનાવમાં કોઈને ઇજા થયેલ નથી  






Latest News