લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE





મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીના વતનીને વીમો હોવા છતાં કંપનીએ વિમાની રકમ આપવા ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા મારફત કેસ કરતા અદાલતે વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબી સુપર ટોકીઝ પાછળ રહેતા સોનલબેન આનંદભાઈ ભોજાણીના પતિ એશીયન ટ્રોમા હોસ્પીટલમાં દાખલ થયેલ તેના સારવાર ખર્ચના રૂા. ૧,૬૬,૪૯૩ થયેલ.તેનો વિમો રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સનો હતો. સોનલબેને તમામ કાગળો સમય મર્યાદામાં વિમા કાું. ને આપેલ.છતાંં વિમા કંપનીએ કહયું કે, આનંદભાઈએ વિમો લેતા પહેલા તેમને ડાયાબીટીઝ હતુ તે વાત છુપાવી છે માટે રેપ્યુર્ડ લેટરથી વિમો કેન્સલ કર્યો.હતો.જેથી તેઓએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.જેથી ગ્રાહક અદાલતે વિમા કંપનીને કહયું કે, તમારો નિર્ણય ખોટો અને ભુલ ભરેલો છે તમારી સેવામાં ખામી છે.વિમેદારને ડાયાબીટીસ છે તે કારણ યોગ્ય નથી.માટે સોનલબેનને તેના પતિની સારવારના રૂા.૧,૬૬,૪૯૩ નવ ટકાના વ્યાજ સાથે તથા રૂા. ૫૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જોઈએ.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવાાદીમાં જણાવેલ છે.




Latest News