મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોંઘવારીને સહન કરતાં લોકોને જાગૃત કરવા એક વર્ષમાં ૨૫૦ થી વધુ જનચેતના સંમેલન યોજાશે: હાર્દિક પટેલ


SHARE













મોંઘવારીને સહન કરતાં લોકોને જાગૃત કરવા એક વર્ષમાં ૨૫૦ થી વધુ જનચેતના સંમેલન યોજાશે: હાર્દિક પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં આજે મોરબીના રવાપર ગામે જનચેતના સંમેલન યોજાયું હતું જેમાં દેશની અંદર વધતી મોંઘવારી, મોંઘું શિક્ષણ સહિતના મુદ્દાઓને લઈને તેને કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી અને હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેને લઈને લોકોમાં જાગૃતિ આવે તેના માટે જનચેતના સંમેલન શરૂ કરવામાં આવેલ છે અને આગામી એક વર્ષમાં રાજયમાં ૨૫૦ જેટલા જનચેતના સંમેલન કરવામાં આવશે તેવો હુંકાર કર્યો હતો

સરદાર પટેલ ની જન્મ જયંતી નિમિત્તે સરદાર સમિતિ દ્વારા આજે મોરબી તાલુકાના રવાપર ગામે સરદાર સમિતિ દ્વારા જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઇ પટેલ, લલીતભાઈ કગથરા પ્રવિણભાઈ, કિરીટભાઈ પટેલ, ચિરાગભાઈ કાલારીયા, જીગ્નેશભાઈ મેવાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ અને આગેવાનો હાજર રહ્યા હતા અને વર્તમાન સમયની અંદર જે રીતે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, શિક્ષણ મોંઘું થયું છે અને લોકો પિસાઈ રહ્યા છે અને તેમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જે આસમાને પહોંચ્યા છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડેહાથ લેવામાં આવી હતી અને જે રીતે અસહ્ય મોંઘવારી વધી રહી છે તેને લઈને લોકો જાગૃત થાય અને પોતાનો હક્ક માંગે તેના માટે થઈને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું

ત્યારબાદ જનચેતના સમેલનમાં લોકોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોને તેનો હક મળે, યુવાનોને તેનો હક મળે તેના માટે થઈને તેઓએ જે સંઘર્ષ યાત્રા શરૂ કરી છે તે હજુ પણ યથાવત છે અને આગામી સમયમાં પણ યથાવત્ રહેશે જો કે છેલ્લા વર્ષની અંદર આંદોલનના કારણે લાખોની સંખ્યામાં યુવાનો ઘણા ફાયદ થાય છે તે લોકો ભૂલી શકે તેમ નથી અને આજની તારીખમાં જો વાત કરીએ તો ગુજરાતની નહીં પરંતુ દેશની અંદર પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને મોરબીની જ વાત કરીએ તો સિરામિકમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે આ તમામ બાબતોને સહન કરવાના બદલે લોકો પોતાનો હક્ક માંગે તેના માટે તેને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન શરૂ કરવામાં આવ્યા છે જેની શરૂઆત મોરબીથી કરવામાં આવે છે

વધુમાં તેઓએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં એક વર્ષની અંદર સમગ્ર ગુજરાતમાં ૨૫૦ કરતાં વધુ જનચેતના સંમેલન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે તેવો પણ હુંકાર કર્યો હતો  જનચેતના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડાસુબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News