મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આગથી દોઢ કરોડનો કપાસ ખાખ: તાત્કાલિક વળતર અપાવવા પ્રતિનિધિઓ પ્રયત્નશીલ


SHARE













મોરબી યાર્ડમાં આગથી દોઢ કરોડનો કપાસ ખાખ: તાત્કાલિક વળતર અપાવવા પ્રતિનિધિઓ પ્રયત્નશીલ

મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં શનિવારે કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતોનો લગભગ ૧૨ હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાથી દોઢ કરોડનું નુકશાન થયું છે તેવી યાર્ડના મેનેજરે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરેલ છે

આગામી દિવસોમાં દિવાળી આવી હોવાથી મોરબી માર્કેટિંગ યાર્ડ તારીખ બે થી બંધ થવાનું હતું જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલાં પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવે અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરી શકે તે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને શનિવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા અને તેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો કપાસ લઈને આવ્યા હતા દરમિયાન બપોરના અરસામાં કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને આગની ઝપેટમાં જોતજોતામાં યાર્ડના સેડ નંબર ૧ ની અંદર મૂકવામાં આવેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને ત્રણ તાલુકાના ખેડૂતો કપાસ લઇને પોતાનો માલ વેચવા માટે આવ્યા હતાં તેનો માલ આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે જેથી કરીને દોઢ કરોડનું નુકશાન થયેલ છે

ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા યાર્ડમાં આવ્યા હતા અને તેઓએ કર્યું હતું કે, જો ફાયર સેફ્ટીની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવે છે ત્યાં ફાયર સેફટીના નામે શૂન્ય હોય તેવું જોવા મળ્યું છે અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, જે ખેડૂતો માલ આગમાં બળી ગયો છે તેઓને તાત્કાલિક નુકશાનીનું વળતર આપવામાં આવે તે અનિવાર્ય છે તો મોરબી યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આટલા વર્ષોમાં પહલી વખત મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગા લાગી હતી અને તેમાં જે કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે તેના માટે કોઈને નુકશાન ન જાય તેવી વ્યવસ્થા યાર્ડ દ્વારા કરવામાં આવશે






Latest News